Difference between revisions 8064 and 8065 on guwikisource

{{header
 | title      = કે ઝઘડો લોચનમનનો
 | author     = દયારામ
 | translator = 
 | section    =
 | previous   =
 | next       =
 | notes      = 
}}

લોચનમનનો રે ! કે ઝઘડો લોચનમનનો!<br/>
રસિયા તે જનનો રે ! કે ઝઘડો લોચનમનનો !<br/>
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?<br/>
મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’<br/>

નટવર નિરખ્યા નેન ! તેં સુખ આવ્યું તુજ ભાગ;<br/>
પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ !’<br/>
‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’<br/>
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન.<br/>

‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ.<br/>
મને તજી તું નિત મળે, હું રહું દુઃખવિજોગ !’<br/>
‘વનમાં વ્હાલાજી કને, હું ય વસું છું નેન !<br/>
પણ તુંને નવ મેળવે, હું નવ ભોગવું ચેન !’<br/>

‘ચેન નથી મન ! ક્યમ તને, ભેટ્યે શ્યામશરીર?<br/>
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર !’<br/>
મન કહે, ‘ધીખું હ્રદે, ધુમ પ્રગટ ત્યાં હોય.<br/>
તે તુજને લાગે રે નેન ! તેહથકી તું રોય !’<br/>

એ બેઉ આવ્યા બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,<br/>
‘મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય.<br/>
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,<br/>
દયા પ્રીતમ શ્રીકૃષ્ણશું બેઉ વડેથી પ્રીત.’<br/>

[[દયારામ]]

[[category:Gujarati]]
[[category:ગુજરાતી]]
[[category:દયારામ]]