Revision 8493 of "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૧૩. ચોટલો ઝાલીને" on guwikisource

"'''તો''' પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઇએ;" પ્રોફેસર ઇન્દ્રજિતે ઊઠતાં ઊઠતાં કહ્યું. સુખદેવ ડોસા એની સામે સુખભરી પણ શંકાશીલ અને દયામણી આંખે તાકી રહ્યા: "સાચેસાચ શું એ તમારો મત છે ? મશ્કરી તો નથી, પ્રોફેસર !"