Difference between revisions 9851 and 9870 on guwikisource{{header | title = દુશ્મન[[સૌરાષ્ટ્રની રસધાર ૩]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = ૯. દુશ્મન | previous = ⏎ | next = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૮. આલેક કરપડો|૮. આલેક કરપડો]] | next = [[સૌરાષ્ટ્રની રસધાર ૩/૧૦. રાઠોડ ધાધલ|૧૦. રાઠોડ ધાધલ]] | notes = }} મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે. અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ-ત્રણ ડોરણાવાળી ચોરણીઓ ને પાસાબંધી કેડિયાં પહેરેલાં. કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી, માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા, જમણા પગની જાંઘે પડખાના ભાગ ઉપર, ઢીંચણસુધી ઢળકતી નાડીને છેડે, સાત-સાત રંગની ઊનનાં ગૂંથેલાં ફૂમકાં ઝૂલી રહ્યા છે. કેડિયાની કસોને બાંધે(contracted; show full) “ભાયા, તું હાલ્ય. જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યે સીમાડો કાઢી આપું. હાલો, ઝટ ઘોડાં પલાણો.” અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બીલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરા વાળાએ સીમાડો કાધ્યો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઇબંધ રહ્યા. [ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડ વાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બીલખાની પાસે ફકત વાઘણિયા નામનું એક જ ગામ મેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે.] [[ઝવેરચંદ મેઘાણી]] [[category:ગુજરાતી]] [[category:Gujarati]] [[category:ઝવેરચંદ મેઘાણી]]'''[[સૌરાષ્ટ્રની રસધાર ૩]]''' All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://gu.wikisource.org/w/index.php?diff=prev&oldid=9870.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|